જેની વિરૂધ્ધ કાયૅવાહી શરૂ કરવામાં આવી હોય તે વ્યકિતને પોતાનો બચાવ કરવાનો હકક - કલમ : 340

જેની વિરૂધ્ધ કાયૅવાહી શરૂ કરવામાં આવી હોય તે વ્યકિતને પોતાનો બચાવ કરવાનો હકક

કોઇ ફોજદારી ન્યાયાલય સમક્ષ જેની ઉપર કોઇ ગુનાનો આરોપ મુકવામાં આવ્યો હોય અથવા એવા કોઇ ન્યાયાલયમાં આ સંહિતા મુજબ જેની વિરૂધ્ધ કોઇ કાયૅવાહી શરૂ કરવામાં આવી હોય તે વ્યકિતને પોતાની પસંદગી પ્રમાણેના વકીલ મારફત પોતાનો બચાવ કરવાનો હકક રહેશે.